ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે. તેણે તે તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રોહિત ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. રોહિતે કહ્યું છે કે આ નિવૃત્તિ નથી અને તે શક્ય તેટલી વહેલી તકે પૂરી તાકાત સાથે પરત ફરશે. તેણે કહ્યું કે તે માત્ર આ ટેસ્ટમાં રમી રહ્યો નથી. રોહિતે કહ્યું કે ભારત માટે સિડની ટેસ્ટ જીતવી અને બોર્ડર ગાવસ્કરને જાળવી રાખવું વધુ મહત્વનું હતું અને તેણે ટીમના હિતમાં આ નિર્ણય લીધો હતો.
બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન રોહિતે ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્‌સ સાથે લગભગ ૧૫ મિનિટ સુધી વાત કરી અને તે તમામ અહેવાલોને નકારી કાઢ્યા જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે રોહિત ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેણે મ્ઝ્રઝ્રૈં અને ટીમ મેનેજમેન્ટને ટેસ્ટમાંથી નિવૃત્તિની જાણકારી આપી છે અને તે આ જાણકારી સિડની ટેસ્ટ પછી આપશે. જાકે, રોહિતે તેને ફગાવી દીધો હતો. તેણે કહ્યું કે તેણે ટીમ માટે આ નિર્ણય લીધો કારણ કે તેનું બેટિંગ ફોર્મ સારું ન હતું. તેના માટે અંગત હિત કરતાં પણ ટીમ માટે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ હતી.
રોહિતે કહ્યું- હું મનમાં વિચારી રહ્યો હતો કે મારું બેટિંગ ફોર્મ સારું નથી ચાલી રહ્યું. તમે આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને વધુ તક આપી શકતા નથી. તેથી મારી સમજણ એવી હતી કે મારે કોચ અને પસંદગીકારોને કહેવું જાઈએ કે આ બાબતો મારા મગજમાં ચાલી રહી છે. તેણે મારા નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તમે આટલા લાંબા સમયથી રમી રહ્યા છો અને તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો અને શું નથી કરી રહ્યા. મારા માટે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ દરેક બાબતને ધ્યાનમાં રાખીને તે જરૂરી હતું. હું બહુ આગળ વિચારીશ નહીં, પરંતુ હું ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે આ સમયે ટીમને શું જાઈએ છે. બીજું કશું વિચાર્યું નહીં.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેણે આ નિર્ણય મેલબોર્ન ટેસ્ટ પછી અથવા સિડની ટેસ્ટના એક દિવસ પહેલા લીધો હતો? રોહિતે કહ્યું- મેં આ નિર્ણય સિડની આવ્યા બાદ લીધો હતો. મેલબોર્ન ટેસ્ટ પૂરી થયા પછી અમારી પાસે બે દિવસ હતા અને તેમાંથી એક દિવસ નવું વર્ષ હતો. નવા વર્ષ પર મારે પસંદગીકાર અને કોચ સાથે આ વાત કરવાની જરૂર નહોતી. મારા મગજમાં આ વાત ચાલી રહી હતી કે હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ એવું નથી થઈ રહ્યું. તેથી મારે સમજવું પડ્યું કે હું તે કરી શકતો નથી અને મારા માટે એક બાજુએ જવું જરૂરી હતું.