(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૫
રાજસ્થાનના ચિત્તોડગઢથી બીજેપી સાંસદ સીપી જાશીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. આ પત્રમાં સીપી જાશીએ રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ કરવાની વિનંતી કરી છે. સાંસદ સીપી જાશીએ રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં કરેલા નિવેદનોને તેમની માંગનો આધાર ગણાવ્યો છે. આવો જાણીએ સાંસદે બીજું શું કહ્યું.લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં ભાજપના સાંસદ સીપી જાશીએ કહ્યું છે કે એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે વિદેશની ધરતી પર રાહુલ ગાંધીના નિવેદનો કોઈ પણ રીતે યોગ્ય નથી. સાંસદે કહ્યું કે સરહદોની આંતરિક સ્થરતા અને સુરક્ષા ઉપરાંત રાહુલ ગાંધીના નિવેદનો આંતરરાષ્ટય સંબંધોને પણ અસર કરી શકે છે કારણ કે નેતા વિપક્ષમાં પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે.સાંસદ સીપી જાશીએ તેમના પત્રમાં કહ્યું છે કેરાહુલ ગાંધીના નિવેદનો રાજકીય નથી પરંતુ સંપૂર્ણ રીતે રાષ્ટÙ વિરોધી પ્રવૃત્તિઓના દાયરામાં આવે છે, જે તેમના વર્તનને શંકાસ્પદ બનાવે છે. આવા પાયાવિહોણા અને દેશની છબીને કલંકિત કરનારા નિવેદનોને અભિવ્યÂક્તની સ્વતંત્રતાના દાયરામાં ન જાઈ શકાય, આવી સ્થતિમાં રાહુલે વિપક્ષના નેતાના મહત્વના પદ પરથી રાજીનામું આપી દેવું જરૂરી બની જાય છે.વાસ્તવમાં રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકા અને અન્ય દેશોની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ભારતને લઈને ઘણા નિવેદનો આપ્યા હતા જેનાથી ખળભળાટ મચી ગયો હતો. ભાજપે રાહુલ ગાંધી પર વિદેશમાં ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.