કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અનેક મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો છે. તેમણે વિનંતી કરી છે કે પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે. સિદ્ધારમૈયાએ આ પત્રનો જવાબ આપ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને તમામ પીડિતોને શક્ય તમામ મદદ કરો. આ ઘૃણાસ્પદ ગુનાઓ માટે જવાબદાર તમામ પક્ષકારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક ફરજ છે.સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં કોંગ્રેસના નેતાએ દક્ષિણ રાજ્યના સાંસદ રેવન્નાની ટીકા કરી હતી. આ સાથે જ તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રક્ષણમાં જીવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મોદી પર આડકતરો પ્રહાર કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમણે આટલો વરિષ્ઠ જનપ્રતિનિધિ ક્યારેય જોયો નથી જેણે મહિલાઓ પર કથિત હિંસા સામે મૌન જાળવ્યું હોય.
તેમણે કર્ણાટકના સીએમને પીડિતોને તમામ શક્ય મદદ આપવા વિનંતી કરી. ગાંધીએ કહ્યું, ‘તેઓ અમારી કરુણા અને એકતાના હકદાર છે કારણ કે તેઓ ન્યાય માટે તેમની લડાઈ લડે છે. આ ઘૃણાસ્પદ ગુનાઓ માટે જવાબદાર તમામ પક્ષકારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક ફરજ છે.ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રેવન્નાએ કેટલાંક વર્ષોમાં સેંકડો મહિલાઓની જાતીય સતામણી કરી હતી અને તેમનો વીડિયો બનાવ્યો હતો. તેણે કહ્યું કે ઘણા લોકો કે જેઓ તેને ભાઈ અને પુત્ર તરીકે જાતા હતા તેમની પર અત્યંત હિંસક રીતે ક્રૂરતા કરવામાં આવી હતી અને તેમની પ્રતિષ્ઠા છીનવાઈ હતી. માતાઓ અને બહેનો પર બળાત્કાર ગુજારનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ કહ્યું, ‘મને એ જાણીને ખૂબ જ આઘાત લાગ્યો હતો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અમારા ગૃહ પ્રધાન અમિત શાહને દેવરાજ ગૌડાએ પ્રજ્જવલ રેવન્નાના ઘૃણાસ્પદ કારનામાની જાણકારી આપી હતી. તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની વરિષ્ઠ નેતાગીરી દ્વારા આ અધમ આરોપો સામે લાવવામાં આવ્યા હોવા છતાં, મોદીએ બળાત્કારી માટે પ્રચાર કર્યો.ગાંધીએ વધુમાં કહ્યું, ‘આટલું જ નહીં, કેન્દ્ર સરકારે જાણી જાઈને તેમને ભારતમાંથી ભાગી જવા દીધા. આ ગુનાઓ અને પ્રજ્જવલ રેવન્નાને વડાપ્રધાન અને ગૃહમંત્રીના આશીર્વાદથી અપાયેલી પ્રતિરક્ષાની સખત નિંદા કરવી જોઈએ.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘બે દાયકામાં મેં આટલો વરિષ્ઠ જનપ્રતિનિધિ ક્યારેય જાયો નથી જેણે મહિલાઓ પર કથિત હિંસા સામે મૌન જાળવ્યું હોય. હરિયાણાના અમારા કુસ્તીબાજાથી લઈને મણિપુરની અમારી બહેનો સુધી, ભારતીય મહિલાઓ આવા ગુનેગારોને વડા પ્રધાનના મૌન સમર્થનનો માર સહન કરી રહી છે.ગાંધીએ કહ્યું કે અમારી માતાઓ અને બહેનો માટે ન્યાય માટે લડવું એ કોંગ્રેસની નૈતિક ફરજ છે. તેમણે કહ્યું, ‘હું સમજું છું કે કર્ણાટક સરકારે ગંભીર આરોપોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે અને વડાપ્રધાનને વિનંતી કરી છે કે પ્રજ્જવલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરે અને તેને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવે. ‘
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીના પત્રનો જવાબ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું કે પ્રજ્વલ રેવન્ના સાથે જાડાયેલા કેસે દેશને ખરાબ રીતે હચમચાવી દીધો છે. આપણી કાનૂની વ્યવસ્થામાં વિશ્વાસ જાળવી રાખવા માટે પીડિતોને ન્યાય મળવો મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીએ પત્ર લખીને પીડિતોને સમર્થન આપવા પર ભાર મૂક્યો છે. અમે ન્યાયી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
તમને જણાવી દઈએ કે ૩૩ વર્ષીય પ્રજ્જવલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પૌત્ર અને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાનો પુત્ર છે. તેના પર અનેક મહિલાઓના યૌન શોષણના આરોપો લાગ્યા છે અને આને લગતા ઘણા વીડિયો વાયરલ થયા છે. રાજ્ય સરકારે આ કેસમાં જીં્‌ની રચના કરી છે. પ્રજ્જવલ કર્ણાટકની હસન લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદ સાથે સંબંધિત વીડિયો સામે આવતાની સાથે જ તે મતદાન પૂર્ણ થયા બાદ દેશ છોડીને ભાગી ગયો હતો.