અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત શ્રીરામ મંદિર નિર્માણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પૂર્ણ થતા બાઈક રેલી યોજાઈ ગઈ. અયોધ્યામાં રામલ્લા મંદિર પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયાના અવસરને વધામણા રૂપી અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અમરેલી શહેર પ્રેરિત અને મહાદેવ ઠાકરના નેતૃત્વમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ બાઈક રેલીને જેસીંગપરા શિવાજી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા, ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ દેસાઈ તેમજ નગર અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડે પ્રસ્થાન કરાવેલ. આ રેલીમાં ભગવાન શ્રીરામ નામની ધૂન સાથે પાણી દરવાજા, ટાવર ચોક, બસ સ્ટેન્ડ થઈને રામજી મંદિર ખાતે સંપન્ન થયેલ. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના તેમજ બજરંગ દળના યુવાનો મોટી સંખ્યામાં જોડાયેલા હતા. રેલીને સફળ બનાવવા માટે અનેક યુવાનોએ જહેમત ઉઠાવી હતી.