ગુજરાતમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના હિસાબ અને તિજારી નિયામકમાં બઢતી સાથે બદલી કરાઈ હતી. નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે. ૧૩૯ હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મળ્યો છે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને બઢતી મળી છે, પેટા તિજારી અધિકારીઓને પણ બઢતી મળી છે.
તો બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગે અનેક જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરી છે. વર્ગ ૨ના ૧૦૯ ઇજનેરોની બદલી કરાઈ છે. મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલી કરાઈ છે. માહિતી મુજબ ઇજનેરોની જાહેર હિત અને સ્વ વિનંતીથી બદલી થઇ છે.
ઓગસ્ટ મહિનામાં ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાત સરકારના ૨૦૧૪ ની બેચના આઇએએસ બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં ૩૬ તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ અપાયા હતા. જેમાં એકસાથે ૧૭૧ વેરા નિરીક્ષકોની તાત્કાલિક બદલીના આદેશો આપવામાં આવ્યા હતા. તે સિવાય ગાંધીનગર નાયબ અને સંયુક્ત વેરા અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી હતી.