(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં જીએસટીએ ફરી એકવાર દરોડા પાડ્યા છે. જીએસટીએ રાજ્યમાં કોપરના વેપારીઓ પર દરોડા પાડ્યા છે.એસજીએસટી દ્વારા ૬ શહેરોમાં ૧૪ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કરચોરી ઝડપાઈ છે.
રાજ્યના સુરત, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, વાપી, ભાવનગરમાં એસજીએસટીની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને કુલ રૂ. ૪૮ કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં કુલ ૪૮ કરોડ રૂપિયાની કરચોરી બહાર આવી છે.
આ સાથે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવતી ચાર નકલી કંપનીઓ પણ ઝડપાઈ છે. ત્યારે ૧૯.૪૯ કરોડની કરચોરીમાં સંડોવાયેલા ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના સંદીપ અનવર વિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યની જીએસટી આવકમાં મોટો વધારો નોંધાયો છે રાજ્યની ય્જી્‌ આવકમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. રાજ્યની જીએસટી આવકમાં ૧૮ ટકાનો વધારો થયો છે. આ વિગતો થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૪માં જીએસટીની કુલ આવક રૂ. ૬,૧૪૬ કરોડ હતી. જે ગયા વર્ષના ઓક્ટોબરની આવક કરતાં ૧૮ ટકા વધુ છે.ઓક્ટોબર ૨૦૨૪માં રાજ્યની જીએસટી આવક રૂ. ૬,૧૪૬ કરોડ હતી અને ઓક્ટોબર ૨૦૨૪માં રાષ્ટÙીય સ્તરે આવક વૃદ્ધિ ૯ ટકા હતી. રાજ્યએ ઓક્ટોબર ૨૦૨૪માં વેટ હેઠળ રૂ. ૨,૫૮૪ કરોડ, વીજળી ડ્યુટી હેઠળ રૂ. ૯૮૬ કરોડ અને વેપાર કર હેઠળ રૂ. ૨૮ કરોડની આવક નોંધાવી છે. રાજ્યના કર વિભાગે જીએસટી, વેટ, વીજળી ડ્યુટી અને વેપાર કર દ્વારા કુલ રૂ. ૯,૭૪૪ કરોડની આવક મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ૭ મહિનામાં રાજ્યના ટેક્સ વિભાગે જીએસટી,વેટ વીજળી ડ્યૂટી અને વેપાર કર દ્વારા કુલ ૬૭,૯૮૧ કરોડ રૂપિયાની આવક મેળવી છે.