અમરેલી લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ચૂંટણીના છેલ્લા પડાવમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ ખેડી રહ્યાં છે. જિલ્લાના ગામડાઓમાં ભરતભાઈ સુતરીયાને અદકેરો આવકાર મળી રહ્યો છે. રાજુલાના ગામોમાં અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરીયા દ્વારા રાજુલા વિધાનસભાના ડેડાણ, વાંગધ્રા, જામકા, ત્રાકુડા તથા માંડળ ગામે સભામાં હાજરી આપી હતી. તેમજ લાઠી તાલુકાના તાજપર ગામે આવેલ રણુજા ધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા જ્યાં ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાનું નાની બાળાઓ દ્વારા કુંભ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી શ્રી શામજીબાપુ અને ગીગડા પીરના સાનિધ્ય સ્થાન એવા સતાધાર આશ્રમ ખાતે પૂજ્ય વિજય બાપુના આશીર્વાદ મેળવી લાઠી તાલુકાના તાજપર ગામે આવેલ રણુજા ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા, ત્યાર બાદ રાજુલા વિધાનસભાના વાંગધ્રા ગામે હનુમાનજી મંદિર તેમજ ડેડાણ ગામે શ્યામ મંદિરે દર્શન કર્યા હતા. આ તકે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જાદવ, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ સરવૈયા, જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય કાળુભાઈ ફિડોળીયા, કારોબારી ચેરમેન મુકેશભાઈ માંગરોળીયા, સરપંચ નરેશભાઈ વાવડીયા, હરસુરભાઈ વાઘ, નાથાભાઈ વાઘ, કોળી સમાજ અગ્રણી બાબુભાઈ મકવાણા, ડેડાણ ગામના રાજવી મહેશભાઈ કોટીલા, સરપંચ નટુભાઈ રાઠોડ, સરપંચ દડુભાઇ, માજી સરપંચ ભોળાભાઈ ખસિયા, દુલાભાઈ વણઝર, સરપંચ મયુરભાઈ દુધાત, વિનુભાઈ દુધાત સહિતના ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

લોકસભાની ચૂંટણી પૂર્વે રાજુલા કોંગ્રેસમાં ગાબડુ
રાજુલા ખાતે આહીર સમાજ અને ભરતભાઇ સુતરીયાની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પૂર્વ સદસ્ય આહીર સમાજ યુવા આગેવાન ઘનશ્યામભાઈ વાઘનું ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વિધિવત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાતા અભિનંદન પાઠવ્યા હતા. આ તકે જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, આહીર સમાજના આગેવાન અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા, બાબુભાઈ જાલંધરા, જે.બી.લાખણોત્રા, સાગરભાઈ સરવૈયા, શુકલભાઈ બલદાણીયા, સનાભાઈ વાઘ, અરજણભાઈ વાઘ, લાલભાઈ રામ, ડો.હિતેશભાઈ હડિયા, કનુભાઈ કલસરિયા, નાથાભાઇ વાઘ, લાલભાઈ વાઘ, પરેશભાઈ લાડુમોર, બળવંતભાઈ લાડુમોર, વલકુભાઈ બોસ તેમજ આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.