ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨૦૦ જગ્યાએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ જિલ્લા કો.નિકિતાબેનના સહયોગથી સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજુલા યોગકોચ ભૂમિબેન મજુકોડિયા( સંચાલક) તથા સહસંચાલક ઊર્મિલાબેન રવૈયા અને ભરતભાઈ પરમારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. સમર યોગ કેમ્પની અંદર બાળકોને યોગની સાથે સાથે સંસ્કાર શિબિર, ભગવત ગીતાના શ્લોકનું પઠન, અન્ય શ્લોકોનું રિધમીક પઠન કરતા શીખે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસે બાળકોને દાતાઓ તરફથી મળેલ ભેટ આપવામાં આવી હતી.