રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટમાં ગેમઝોનમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુલા હવેલી ચોકથી ટાવર સુધી મૌન કેન્ડલ રેલી યોજવામાં આવેલ જેમાં રાજુલા ગામ સમસ્તના તમામ સમાજના લોકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બે મિનિટ મૌન પાળી
મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.