ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૫ જેટલી નવી ડીવાયએસપી ઓફિસો મંજૂર થઈ હતી, જે લાંબા સમય સુધી ભરવામાં આવી ન હતી. તાજેતરમાં હૈદરાબાદથી ટ્રેનિંગ લઈને નવા આવેલા આઇપીએસ અધિકારીઓની નિમણૂક નવી નવ જેટલી કચેરીઓમાં કરવામાં આવી હતી. આ નવી કચેરીઓ રાજુલા અને ધારીમાં પણ મંજૂર થઇ હતી. તેમાંથી ધારીમાં નવા ડીવાયએસપીની નિમણૂક થઈ ગઈ છે ત્યારે રાજુલામાં આવી નિમણૂક આપવામાં આવી નથી. ધારી તાલુકો નાનો હોવા છતાં ત્યાં જગ્યા ભરાઈ ગઈ ત્યારે આ વિસ્તારમાં છેવાડાનો તાલુકો રાજુલા ઔદ્યોગિક વિસ્તાર છે, દરિયા કિનારો હોવાથી વર્ષો પહેલા સરકેશ્વર પાઠોડામાં દાણચોરીનો માલ પણ ઉતરતો હતો. થોડા વર્ષો પહેલા વિદેશી વ્યકતી પણ પોર્ટમાં ઘૂસી આવ્યો હતો અને દેશ-વિદેશના જહાજો પણ આવે છે. રાજુલાથી સાવરકુંડલા ૫૦ કિલોમીટર દૂર છે ઉપરાંત જાફરાબાદ, મરીન પીપાવાવ, મરીન નાગેશ્રી, રાજુલા ટાઉન ડુંગર પોલીસ સ્ટેશન, ખાંભા પોલીસ સ્ટેશન સહિત પોલીસ સ્ટેશન માટે રાજુલા ડીવાયએસપીની કચેરીની ખાસ જરૂર છે. તેમજ અહીં દરિયા કિનારો પણ નજીક છે તેમ જ અહીં કોસ્ટગાર્ડ ડીવાયએસપી, કસ્ટમ કમિશનર, નેવી ડીવાયએસપી, એસઆરપી ડીવાયએસપી, દરિયાઈ પોલીસ કમાન્ડો જેવા અહીં હાલ પાંચ ડીવાયએસપી કાર્યરત છે. આથી રાજુલામાંની સુરક્ષા મજબૂત થાય અને લોકોને કામ માટે સાવરકુંડલા ન જવું પડે છે તે માટે મંજૂર થયેલી છે તે ડીવાયએસપી કચેરી તાત્કાલિક શરૂ કરવી જોઈએ તેવી માગણી લોકો કરી રહ્યા છે. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા દ્વારા આ જગ્યા ભરવા
ગૃહ ખાતા, ધારાસભ્ય, ડીજી સહિતને રજૂઆત થઇ છે. રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી જણાવે છે કે ડીવાયએસપીની કચેરી અહીંયા હોય તો લોકોને સાવરકુંડલા જવાબ લખાવવા કે રજૂઆતનું કામ હોય તો સમય અને પૈસા બંનેની બચત થઇ શકે.