રાજુલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પત્નીથી પતિની આર્થિક તંગી ન જોવાતા પુત્રી સહિત ઝેરી દવા પી લીધી હતી.
જાગૃતિબેન મુકેશભાઈ શીયાળ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિએ છેલ્લા ૨૦ દિવસથી બટેટા ભુંગળા વેચવાનું શરૂ કર્યુ હતું. પરંતુ આ વ્યવસાયથી તેમનો ઘર ખર્ચ માંડ નીકળતો હતો. જેથી તેમના પતિ આર્થિક ખેંચના લીધે સતત ચિંતામાં અને ઉદાસ રહેતા હતા. પતિની આ પરિસ્થિતિ જોવાતી ન હોવાથી તેમને મનમાં લાગી આવતા પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ પાણીમાં ભેળવી પી લીધી હતી. તેમજ તેમની દીકરીને ખીચડીમાં બે ગોળી ભેળવી ખવડાવી દેતાં સારવારમાં દાખલ કર્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એફ.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.