રાજુલામાં રહેતી એક યુવતી મધરાત્રિથી લઈ વહેલી સવારે ઘરેથી ચાલી નીકળી હતી. જેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા. બનાવ સંદર્ભે નવશાદ અલી કુરાબ અલી કમાણી (ખોજા, ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સાનીયા (ઉ.વ.૧૯) રાત્રીના આશરે ત્રણ વાગ્યાથી વહેલી સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી.રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.