રાજુલાની જે.એ. સંઘવી હાઈસ્કૂલમાં સતત ત્રણ દાયકા એટલે કે ૩૫ વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ હર્ષદભાઈ જોષીનો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે.એ. સંઘવી હાઇસ્કૂલમાં આ પ્રથમ ઘટના છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય. અત્યાર સુધીમાં આ શાળામાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા આ શાળાને ફરીથી જીવંત કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં શહેરનાં અગ્રણીઓ, નામાંકિતો, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ડોક્ટરો, વકીલો, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ, સમસ્ત બ્રહ્મસમાજ તેમજ મહુવાથી વિવિધ ડોક્ટરો, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, શાળાના ટ્રસ્ટીઓ બીપીનભાઇ લેહરી, શાળાનાં આચાર્ય, શાળાનો સમગ્ર સ્ટાફ, ભૂતપૂર્વ શિક્ષકો સહિતનાં વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.