રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી.સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજમાં “એક કદમ આત્મનિર્ભરતા કી ઓર” સૂત્રને સાર્થક કરતો ‘આનંદ બઝાર’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્ટોલ્સ ઊભા કરી વેચાણકળા અને સ્વાવલંબનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.