રાજુલાના હિંડોરણા ગામ પાસે આવેલ નેશનલ હાઈવેના પુલ પર પાંચમી વાર ગાબડું પડી ગયું હતું. હાલમાં આ ગાબડું પૂરવાની કામગીરી શરૂ થયેલ છે. આથી હાઇવે ઓથોરિટીએ કેવા રોડ અને કેવા પુલ બનાવ્યા છે અને તે કેટલો ટાઈમ ચાલશે તે કહી શકાય તેમ નથી. આ અંગે લોકોમાં એવી ચર્ચા છે કે વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોવાથી આવા ગાબડાઓ પુલમાં અને રોડમાં અવારનવાર પડતા રહેતા આ રોડ કેટલો ટકી શકશે તે સવાલ છે. આ રોડના નિર્માણમાં ખૂબ જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે અંગેની તપાસ થાય તેવી પણ માગણી લોકો કરી રહ્યા છે. તો શું તંત્ર ફક્ત ટોલટેક્સ ઉઘરાવશે કે પછી ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરી સારા રોડ બને તેવી વ્યવસ્થા પણ કરશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે.