ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો હોય ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોને ગણપતિબાપાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ૨૦૧૬થી ગણપતિબાપાની મૂર્તિઓનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આજે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડના પટાંગણમાં ગણપતિદાદાની ૬૫ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે રાજુલા શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ભાજપ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવની શહેરી અને દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તાર સુધી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે.