રાજુલાના કથીવદર ગામના પુલ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું
મૃત્યુ થયું હતું. બનાવ અંગે તળાજા તાલુકાના પસ્વી ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા હરદેવગીરી રમેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૭)એ વલ્લભીપુરમાં રહેતા ટ્રક ચાલક ઓમકારગીરી કાંતીગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૫) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટા બાપુના દીકરા ઓમકારગીરી કાંતીગીરી ગૌસ્વામી મહુવા બાજુથી રાજુલા તરફ આવતા હોય ત્યારે રાજુલા તાલુકાના કથીવદર ગામના પુલ પાસે પોતાના હવાલાની મો.સા. રજી. નં.GJ-૧૪-BF-૧૪૧૭ ને પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી આવી રોડની સાઇડમાં પડેલ ટ્રક રજી. નં.GJ-૩૨-્T-૬૬૩૯ની એકદમ નજીક આવી બ્રેક મારી હતી. જેથી કાબુ ગુમાવતા ટ્રક સાથે અથડાતાં શરીરે નાની-મોટી ઇજા થવાથી મોત નિપજ્યું હતું. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. છોવાળા
વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રાકેશભાઈ ભરતભાઈ રાયઠઠા (ઉ.વ.૩૭)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ જ્યુપીટર પર તેમના પત્ની સાથે રાજકમલથી નાગનાથ રોડ પરથી પસાર થતાં હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતાં તેમને બંનેને ઈજા થઈ હતી.