ભાવનગર-સોમનાથ હાઇવે પર આવેલ નાગેશ્રી ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નાગેશ્રી પોલીસ સ્ટેશનને થતા પી.એસ.આઇ પલાસ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગથી કોઈ મોટી ઘટના ન બને તે માટે હાઇવે પરના બંને રોડ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજુલા ફાયર વિભાગને જાણ કરાતા ગણતરીના સમયમાં જ ફાયર વિભાગના મનુભાઈ, જયુભાઈ અને શીવાભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.