લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ભૂતપૂર્વ મંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ, ઉર્ફે રાજા ભૈયાની પત્ની ભાનવી સિંહ, ને એક મહિલાના ગૌરવનું અપમાન કરવાના આરોપમાં ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂકીને મોટી રાહત આપી છે. જસ્ટીસસ સૌરભ લાવાણિયાની સિંગલ બેન્ચે ભાનવી કુમારી સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો છે.અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે રાજા ભૈયાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, જેનો ભાનવી સિંહે લેખિત જવાબ રજૂ કર્યો હતો. આ જવાબ એક ટીવી ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના આધારે સાધ્વી સિંહે ભાનવી સિંહ અને બે અન્ય વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી.કોર્ટે નોંધ્યું હતું કે ફેમિલી કોર્ટ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ સ્પષ્ટપણે જણાવે છે કે ફેમિલી કોર્ટમાં પેન્ડીંગ કોઈપણ કેસની કાર્યવાહી પ્રકાશિત કે પ્રસારિત કરી શકાતી નથી. અરજદારના વકીલે એવી પણ દલીલ કરી હતી કે લગાવવામાં આવેલા આરોપો અંગે ફક્ત ફરિયાદ જ દાખલ કરી શકાય છે, અને એફઆઈઆર નોંધવી જાઈએ નહીં.કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલો બે બહેનો વચ્ચે હોવાથી, મધ્યસ્થી થવાની શક્્યતાને નકારી શકાય નહીં. કોર્ટે આગામી સુનાવણી સુધી ટ્રાયલ કાર્યવાહી પર સ્ટે મૂક્્યો હતો.