(એચ.એસ.એલ),જયપુર,તા.૨૦
રાજસ્થાનના પાલી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મંગળવારે રાત્રે લગભગ ૨ વાગ્યે એક ઝડપી ડમ્પરે એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી વધુ ૨ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. રોહત પોલીસ સ્ટેશનના અધિકારી નિરંજન સિંહે જણાવ્યું કે દર્દી અશોકને એમ્બ્યુલન્સમાં અમદાવાદથી જાધપુર લાવવામાં આવી રહ્યો હતો. તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા.સિંહના કહેવા પ્રમાણે, ગજાનગઢ પાસે અચાનક રસ્તા પર પશુઓ આવી ગયા અને એમ્બ્યુલન્સ સાથે અથડાઈ. અકસ્માતમાં એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું અને જાધપુરથી બીજી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યારે દર્દીને અન્ય એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે એક ઝડપી ડમ્પરે (આકÂસ્મક) એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી, પરિણામે મોહિની દેવી અને ફાગલી દેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે અન્ય બે હરિરામ અને સુનીલનું જાધપુરની હોસ્પટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સુનીલ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો. આઅકસ્માતમાં અશોક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ મહિલાઓ કૂદીને લગભગ ૮ ફૂટ દૂર રોડની બાજુની ઝાડીઓમાં પડી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને હાઈવે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓ અને અન્ય લોકોને તાત્કાલિક બાંગર હોસ્પટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને મહિલાઓના મોત થઈ ચૂક્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં દર્દીના સંબંધી મોહિની દેવી વિશ્નોઈ, બાડમેર જિલ્લાના ગુડા માલાની નિવાસી, ફાગલી દેવી વિશ્નોઈ, હરિરામ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સુનીલ બિશ્નોઈનું મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહને હોÂસ્પટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ ફરાર ડમ્પર ચાલકને શોધવામાં વ્યસ્ત છે.