(એ.આર.એલ),સિરોહી,તા.૧૬
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે રવિવારે રાત્રે ટ્રક અને તૂફાન ટેક્સી (જીપ) વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. સોમવાર સવાર સુધીમાં આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે જેમાં ૧ બાળક, ૩ મહિલા અને ૫ પુરૂષનો સમાવેશ થાય છે. તે જ સમયે, ૧૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોને ઉદયપુરની હોÂસ્પટલમાં રિફર કરવામાં આવ્યા છે. એક મૃતકની ઓળખ શિવગંજના રહેવાસી તરીકે અને એક મૃતકની ઓળખ સુમેરપુરના રહેવાસી તરીકે થઈ છે. જ્યારે અન્ય તમામ લોકો ઉદયપુર જિલ્લાના ઓગાના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. માહિતી બાદ ધારાસભ્ય સમારામ ગરાસિયા, જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર બેનીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્ય સમારામ ગરાસિયાએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.સીઓ પિંડવાડા ભંવરલાલ ચૌધરીએ જણાવ્યું કે પોલીસ અધિકારી હમીર સિંહ ભાટી અને અન્ય પોલીસ અધિકારીઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટના બાદ ટેક્સીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો વાહનમાં જ ફસાઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તમામ ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢી સરકારી હોસ્પટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં લોકોની હાલત ગંભીર બનતા તેમને જિલ્લા રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પટલઆ ઘટનામાં ૯ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ છે. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સીઓ પિંડવારા ભવરલાલ ચૌધરીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યાછે. અધિક પોલીસ અધિક્ષક પ્રભુદયાલ ધનિયા અને પિંડવાડા પોલીસ સ્ટેશનના અધિકારી હમીર સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે ઘાયલોને પિંડવાડાની સરકારી હોસ્પટલમાં દાખલ કર્યા છે.