રાષ્ટીય રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું. જ્યોતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગોળીઓની ધાણીફુટ વચ્ચે પોલીસે ત્રણ બદમાશની ધરપકડ કરી છે. એન્કાઉન્ટરમાં ત્રણેય ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. તેમજ અરબાઝ હત્યા કેસમાં પોલીસ હવે આ આરોપીઓની પૂછપરછ કરશે.
વાસ્તવમાં, દિલ્હી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ૯ માર્ચે દિલ્હીના સીલમપુર વિસ્તારમાં બનેલા અરબાઝ નામના વ્યÂક્તની હત્યા કેસના ફરાર આરોપીઓ ઉત્તર પૂર્વ જિલ્લા વિસ્તારમાં ક્યાંક આવવાના છે. આ મામલાની માહિતી મળ્યા પછી, ઉત્તર પૂર્વ જિલ્લાના વિશેષ સ્ટાફે આંબેડકર કોલેજ પાસે છટકું ગોઠવ્યું અને જ્યારે તેઓએ ત્રણ લોકોને સ્કૂટર પર આવતા જાયા, ત્યારે તેઓએ તેમને રોકવા માટે સંકેત કર્યો.
પોલીસને જાઈને બદમાશો આંબેડકર કોલેજની પાછળના રસ્તા પર ભાગવા લાગ્યા હતા. પોતાને પકડાતા જાઈને બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી પોલીસને પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ એન્કાઉન્ટરમાં લગભગ ૨૪ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણેય બદમાશોને પગમાં ગોળી વાગી હતી અને પોલીસનું બુલેટપ્રુફ જેકેટ પણ વાગી ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ બદમાશોની ઓળખ ખાલિદ, તોતા અને ફહાદ તરીકે થઈ છે. ૯ તારીખે અરબાઝ નામની વ્યÂક્તની હત્યા સમયે આ લોકો સીસીટીવીમાં જાવા મળે છે. જેમાં ખાલિદના હાથમાં પિસ્તોલ જાવા મળે છે. અરબાઝની હત્યા સમયે મૃતક અરબાઝ અને આરોપીઓ સાથે ફરતા હતા. હવે આ લોકોએ અરબાઝની હત્યા શા માટે કરી તેમની પૂછપરછ થશે?
મૃતક અરબાઝ અગાઉ છેનુ ગેંગનો સભ્ય હતો. આરોપી ખાલિદ અને તેના બે સહયોગીઓ સોહેલ ચપ્પલ નામના વ્યક્તના સહયોગી હોવાનું કહેવાય છે. આ અંગે તપાસ કરવામાં આવશે. સોહેલ એક સમયે હાશિમ બાબાની નજીક હતો.