ગઈકાલ બુધવારે સવારે રાજકોટ શહેરમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઇવરે અકસ્માત સર્જ્‌યો હતો. ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા ૪ નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ ૪ લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે.એફએસએલ રિપોર્ટ મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માતની ઘટનામાં બસ એજન્સીને માત્ર ૨,૬૭૪ રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાજકોટ મનપાનું કહેવું છે કે બસ ૧૯ મહિના પહેલા જ ખરીદી છે. પોલીસે બસ પર પથ્થરમારો કરવા મુદ્દે ૧૫-૨૦ ટોળા સામે મિલકતનું નુકસાન કરવા તેમજ પોલીસ કાર્યવાહીમાં અવરોધો પેદા કરવા બદલ ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની ઘટનામાં કંપનીને દંડ ફટકારાતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. બેફામ સિટી બસના ચાલકે ૪ નિર્દોષ લોકોનો ગઈકાલે જીવ લેતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ મનપા અને કંપની વચ્ચે થયેલ કોન્ટ્રાક્ટ મુજબ દંડ કરાશે. મનપા કંપનીને પ્રતિ કિલોમીટર દીઠ ૫૩.૪૮ રૂપિયા ચુકવે છે. અકસ્માતમાં કંપનીને ૫૦ કિમી ટ્રીપના દંડની જાગવાઈ મુજબ દંડ વસૂલાશે. પ્રાપ્ત માહિતી મુજબ સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્લીની પીએમઆઇ કંપની પાસે છે, રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઈજનેર જસ્મિન રાઠોડ કાર્યભાર સંભાળે છે. ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ બસનું સંચાલન કરે છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ બેઠક કરી છે. આ બેઠકમાં જુદા-જુદા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા તેમજ તપાસમાં કંપની, એજન્સીના માણસોની જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં અકસ્માત મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બસ ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સની મુદત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઈ ગઈ હતી.આરટીઓની તપાસમાં બસમાં કોઈ યાંત્રિક ખામી ન હોવાનું બહાર આવ્યું છે, હાલમાં બસ ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે અને તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ થયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ માહિતી આપી હતી કે બુધવારે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસે એફએસએલ અને આરટીઓ અધિકારીઓની હાજરીમાં બસનો મિકેનિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે બસના મિકેનિકલ રીતે સંપૂર્ણપણે ફિટ છે, એટલે કે તેમાં કોઈ ખામી નથી, જ્યારે બસ ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી ૨૦૨૫ માં પૂરૂં થઈ ગયું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે બસ ડ્રાઇવર નશામાં હતો, તેથી તેના લોહીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે નશામાં ન હોવાનું જાણવા મળ્યું હતું.
મળતા અહેવાલો મુજબ સીસીટીવી ફૂટેજમાં જણાઈ રહ્યું છે કે બસનો ડ્રાઇવર બ્રેક લગાવવામાં અસમર્થ હતો જેથી અકસ્માત સર્જાયો હતો. બ્રેક કેમ ન લાગી તેના કારણો શોધવા માટે તપાસ કરવામાં આવશે. ઝ્રઝ્ર્‌ફ ફૂટેજનાં આધારે પોલીસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરશે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બેફામ પણે બસ ચલાવતા આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જાઈએ. જ્યારે રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, બસની સ્પિડ લિમિટ બંધ કરવા માટે મહાનગર પાલિકાના કમિશ્વનર સાથે વાત થઈ છે. ટ્રાફિકમાં કોઈપણ બસ કે વાહન સ્પીડમાં ન જવું જાઈએ.