ઉત્તર કોરિયાએ ૧૧,૦૦૦ સૈનિકો રશિયા મોકલ્યા છે અને તેમાંથી કેટલાક રશિયાના દક્ષિણ કુર્સ્ક ક્ષેત્રમાં કિવની સેના સાથેના યુદ્ધમાં ઘાયલ થયા છે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને ઉત્તર કોરિયા સાથે દેશની વ્યૂહાત્મક ભાગીદારી પરના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એક આદેશ અનુસાર કરારમાં પરસ્પર સંરક્ષણની જાગવાઈ પણ સામેલ છે.
હકીકતમાં, જૂનમાં પ્યોંગયાંગમાં શિખર સંમેલન બાદ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિંમ જાંગ ઉન દ્વારા કરવામાં આવેલા આ કરારમાં સશસ્ત્ર હુમલાની સ્થિતિમાં એકબીજાની મદદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
રશિયાના ઉપલા ગૃહે આ અઠવાડિયે કરારની પુષ્ટિ કરી. જાકે, નીચલા ગૃહે ગત મહિને તેનું સમર્થન કર્યું હતું. બંને ગૃહમાં મંજૂરી બાદ હવે આ કરાર કાયદો બની ગયો છે. તેને રશિયાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે. આ કરાર મોસ્કો અને પ્યોંગયાંગ વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપે છે, કારણ કે રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ ૧૧,૦૦૦ સૈનિકો રશિયા મોકલ્યા છે અને તેમાંથી કેટલાક રશિયાના દક્ષિણ કુર્સ્ક ક્ષેત્રમાં કિવની સેના સાથેના યુદ્ધમાં ઘાયલ થયા છે. જાકે, રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી નથી.
દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ રશિયાને હથિયાર આપ્યા છે. યુક્રેનના ફોરેસ્નિક નિષ્ણાંતોનું કહેવું છે કે, તેઓને રશિયાના હુમલાના સ્થળો પર હથિયારના નિશાન મળ્યાં છે.