(એ.આર.એલ),મોસ્કો,તા.૧૫
રશિયામાં ભણતી મધ્યપ્રદેશના મૈહરની રહેવાસી સ્મ્મ્જીની વિદ્યાર્થીની સૃષ્ટિ શર્માનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. આ સમાચાર મળ્યા બાદ પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ છે અને સૃષ્ટિના પરિવારજનોએ અંતિમ દર્શન માટે મૃતદેહને ભારત મોકલવાની માંગ કરી છે.હોસ્ટેલથી કોલેજ જતી વખતે રોડ અકસ્માતમાં આ વિદ્યાર્થિનીનું મોત થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે તેમની પુત્રીના મૃતદેહને ઘરે પરત લાવવામાં આવે જેથી તેઓ તેના અંતિમ સંસ્કાર કરી શકે. આ અંગે મધ્યપ્રદેશ સરકારના ગૃહ વિભાગે ભારત સરકારને પત્ર લખીને પ્રયાસો શરૂ કર્યા છે.એમબીબીએસ વિદ્યાર્થીના મૃત્યુ બાદ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે પીડિત પરિવારને ખાતરી આપી છે કે તેમની પુત્રીના પાર્થિવ દેહને પરત લાવવામાં આવશે. સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “મધ્ય પ્રદેશ સરકારે રશિયામાં અભ્યાસ કરતી મિસ સૃષ્ટિ શર્માના મૃતદેહને ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.”રશિયન મીડિયા અનુસાર બપોરે આ અકસ્માત થયો હતો. ઘટના સમયે સૃષ્ટિ શર્મા તેના છ મિત્રો સાથે મુસાફરી કરી રહી હતી. તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું ટાયર અચાનક ફાટી ગયું હતું, જેના કારણે કારનો દરવાજા ખુલી ગયો હતો. સૃષ્ટિ નીચે પડી હતી અને તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સૃષ્ટિએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. કારમાં સવાર ડ્રાઈવર અને અન્ય વિદ્યાર્થીઓ બચી ગયા હતા. સૃષ્ટિ રશિયાના ઉફામાં બÂશ્કર યુનિવર્સિટીમાંથી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી.૨૨ વર્ષીય સૃષ્ટિ શર્મા મૈહરમાં રહેતા રામકુમાર શર્માની પુત્રી હતી અને સૃષ્ટિના પિતા પણ ડોક્ટર છે. સૃષ્ટિની જુનિયર ઝોયાએ સૌપ્રથમ તેના પિતા કલીમને આ ઘટના વિશે ફોન પર જાણ કરી હતી. સૃષ્ટિ તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. તેના પિતા મૈહરમાં Âક્લનિક ચલાવે છે અને ઘણા વર્ષોથી લોકોની સારવાર કરે છે. સૃષ્ટિનો અભ્યાસ આ વર્ષે પૂરો થવાનો હતો.