જો ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે,જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તે આવું બોલે
(એ.આર.એલ),ગોરખપુર,તા.૧૪
લોકસભા ચૂંટણી ૨૦૨૪ હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે.લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ સતત એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના રાષ્ટÙીય અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેએ એક બેઠકમાં કહ્યું હતું કે જા ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે. હવે બીજેપી નેતા અને સાંસદ અને ગોરખપુર લોકસભા સીટના ઉમેદવાર રવિ કિશને મલ્લકાર્જુન ખડગે પર તેમના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે ત્રીજી ટર્મનો અર્થ ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે “ગુલામો જેવો વ્યવહાર” થશે. તેમણે કહ્યું હતું કે આઝાદી પહેલા ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મોદી અને શાહને ત્રીજી ટર્મ આપશો તો એ જ સ્થતિનું પુનરાવર્તન થશે. આપણે ફરી ગુલામ બની જઈશું.
ગોરખપુર લોકસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર રવિ કિશને કહ્યું, “આ બતાવે છે કે ઉંમર કેટલી અસર કરે છે. જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તે આવું બોલે છે. દેશ છેલ્લા ૧૦ વર્ષથી જાઈ રહ્યો છે કે ‘રામ રાજ્ય’માં હિંદુઓ અને મુસલમાનો બધા ખુશ છે… અમે ચંદ્ર પર પહોંચી ગયા છીએ અને તે કહે છે, તમને તરત જ આરામ કરવાની જરૂર છે, હું તમને તે ગુફા વિશે જણાવીશ અને તમે ત્યાં જઈ શકો છો ત્યાં જાઓ હું સરનામું મોકલીશ કે ત્યાં કેવી રીતે પહોંચવું.”
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ૪ તબક્કા પૂર્ણ થયા છે અને આ તમામ તબક્કામાં અનુક્રમે ૬૬.૧૪ ટકા, ૬૬.૭૧ ટકા, ૬૫.૬૮ ટકા અને ૬૭.૨૫ ટકા મતદાન નોંધાયું છે. દેશમાં આગામી ત્રણ તબક્કા માટે ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂને મતદાન થશે. તમામ સીટો માટે મતગણતરી ૪ જૂને થશે.