બાબાપુરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં ભરતભાઈ પરસોતમભાઈ બારૈયા (ઉ.વ.૨૭)એ રીક્ષા નંબર જીજે-૧૪-વાય-૩૦૧૧ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની મોટર સાયકલ લઈને અમરેલી આવતા હતા તે સમયે માધવ ડેરી પાસે પહોંચતાં પોતાના હવાલાવાળી રીક્ષાને પુરઝડપે ચલાવી તેમની મોટર સાયકલ સાથે ભટકાવી તેમને પછાડી દીધા હતા. જેમાં તેમને ઈજા પહોંચી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.