ભારતનો અનુભવી સ્પિનર  યુઝવેન્દ્ર ચહલ આજકાલ ક્રિકેટ કરતા પોતાની રિલેશનશિપના કારણે વધુ ચર્ચામાં છે.તાજેતરમાં જ તે કોચ ગૌતમ ગંભીર, વિકેટકીપર ઋષભ પંત અને ઓપનર અભિષેક શર્મા સાથે કોમેડિયન કપિલ શર્માના શોમાં ગયો હતો. આ સમય દરમિયાન કોઈનું નામ લીધા વિના, તેમણે કહ્યું હતું કે, આરજે મહવશ સાથેના તેમના સંબંધો વિશે આખું ભારત જાણે છે. હવે પંતે કંઈક એવું કહ્યું છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર અર્ચના પૂરણ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર એક વ્લોગ બનાવ્યો છે, જેમાં ફેન્સને ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને ગૌતમ ગંભીર સાથેના એપિસોડ દરમિયાન પડદા પાછળની મજાની ક્ષણોની વિશિષ્ટ ઝલક મળે છે. મજાકથી લઈને હૃદયસ્પર્શી ક્ષણો સુધી વ્લોગ મસ્તીને બતાવવામાં આવી છે.

અર્ચના મહેમાનો સાથે વાતચીત કરે છે. તે ઋષભ પંત સાથે વાત કરે છે. ઋષભ મજાકમાં ચહલની આંગળી પરની વીંટી બતાવે છે. આના પર અર્ચના ચહલને પૂછે છે, “શું હવે તમારી સગાઈ તેની સાથે થઈ ગઈ છે?” આના પર ઋષભે જવાબ આપ્યો, “તેની તો થઈ ચૂકી છે પહેલા.” જા કે, એ સ્પષ્ટ થઈ ગયું કે, પંત ચહલની ધનુશ્રી સાથેની સગાઈનો ઉલ્લેખ કરી રહ્યો હતો. ભારતીયસ્પિનરે ચહલે જવાબ આપ્યો કે, “તે સગાઈ હવે ખતમ થઈ ગઈ છે.” વાસ્તવમાં ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે.

યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ટીમ ઇન્ડિયાની બહાર છે. તે ૨૦૨૩થી ભારત માટે એક પણ મેચ રમી શક્યો નથી. ૩૫ વર્ષીય ચહલ ગયા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો, પરંતુ તેને ટુર્નામેન્ટની એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ચહલ તાજેતરમાં ઇંગ્લેન્ડમાં આરજે મહવશ સાથે જાવા મળ્યો હતો. તે ત્યાં કાઉન્ટી મેચ રમવા ગયો હતો.