યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને માત્ર સરળ જીત તરફ દોરી જ નહીં, પણ એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે ક્યારેય કોઈ ભારતીય બેટ્સમેને હાંસલ કર્યો ન હતો.
ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચમાં ભારતને ૨૧૯ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જવાબમાં, યશસ્વી જયસ્વાલે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને અફઘાનિસ્તાનના બોલરોને કોઈ તક આપી નહીં. તેણે માત્ર ૮૬ બોલમાં અણનમ ૧૧૦ રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની શાનદાર ઇનિંગને કારણે ભારતે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું અને શ્રેણી ૩-૦ થી જીતી લીધી.
આ સદી સાથે, જયસ્વાલે ઇતિહાસ રચ્યો. તે વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં બે સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો. તેણે માત્ર ૬ વનડે ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી. અગાઉ, આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો, જેણે તેની પ્રથમ બે વનડે સદી ફટકારવા માટે ૭ ઇનિંગ લીધી હતી. જયસ્વાલે ડિસેમ્બર ૨૦૨૫ માં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી, અને હવે તેણે અફઘાનિસ્તાન સામે પોતાની બીજી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
સૌથી ઓછી ઇનિંગ્સમાં બે વનડે સદી ફટકારનારા ભારતીયો
યશસ્વી જયસ્વાલ – ૬
શિખર ધવન – ૭
કેદાર જાધવ – ૯
વિરાટ કોહલી – ૧૭
શુભમન ગિલ – ૧૮
રોહિત સાથે રેકોર્ડ ભાગીદારી જયસ્વાલને કેપ્ટન રોહિત શર્માનો પણ ઉત્તમ સહયોગ મળ્યો. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે ૧૭૦ રન ઉમેર્યા, જેનાથી મેચ સંપૂર્ણપણે ભારતની તરફેણમાં થઈ ગઈ. રોહિત શર્મા ૭૯ રન બનાવીને સદી ચૂકી ગયો, પરંતુ તેની ઇનિંગ્સે જીતનો મજબૂત પાયો નાખ્યો. બીજી તરફ, જયસ્વાલ અંત સુધી ક્રીઝ પર રહ્યો અને ટીમને વિજય તરફ દોરી ગયા પછી જ મેદાનમાં પાછો ફર્યો.
જ્યારે વિરાટ કોહલી ઈજાને કારણે બહાર થઈ ગયો ત્યારે યશસ્વી જયસ્વાલને અફઘાનિસ્તાન શ્રેણીમાં પાછા ફરવાની તક મળી.આઇપીએલ ૨૦૨૬ ની ફાઇનલ દરમિયાન કોહલીને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે તે આખી શ્રેણી રમી શક્યો ન હતો. જાકે, ઇંગ્લેન્ડ સામેની આગામી વનડે શ્રેણી માટે કોહલીની ફિટનેસ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જા વિરાટ સંપૂર્ણપણે ફિટ થઈ જાય, તો જયસ્વાલને બહાર બેસવું પડી શકે છે.













































