કેન્દ્રીય કૃષિ મંત્રી બિહારની મુલાકાતે હતાં. તેઓ પટનાના બાપુ ઓડિટોરિયમ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતાં. બિહારના નાયબ મુખ્યમંત્રી અને ઘણા મંત્રીઓ સહિત પાંચ હજાર ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે.
પટણા પહોંચ્યા પછી, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજે ‘કિસાન ઉત્સવ દિવસ’ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ૧૦ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુ રકમ જમા કરાવશે. આપણા અન્નદાતાની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કિસાન સન્માન નિધિની સાથે, ખેડૂતોની આવક વધારવા માટે લગભગ રૂ. ૧.૭૫ લાખ કરોડની ખાતર સબસિડી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ ધન ધન્ય યોજનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે.
અહીં, બિહારના નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી વિજય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૦મા હપ્તાના વિતરણ માટે પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ૩૮ જિલ્લાઓના ૫૦૦૦ થી વધુ ખેડૂતો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષક મિત્ર કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, યોજનાની રકમ ૭૪ લાખ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બાકીના બે લાખ ખેડૂતોને ટૂંક સમયમાં રકમ મોકલવામાં આવશે.









































