વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કાશી પહોંચ્યા હતા. તેમણે બીએચયુગેટ પર મહામના મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને સાંજે ૫ વાગ્યે રોડ શોની શરૂઆત કરી હતી. તેઓ આસી થઈને ગોદૌલિયા થઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતાં.અહીં દર્શન અને પૂજા કરી હતી.આ પાંચ કિલોમીટરનું અંતર લગભગ ચાર કલાકમાં કાપ્યું હતું
લોકો પીએમ મોદીને આવકારવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગયા હતાં અને હર હર મોદીના નારા લગાવી રહ્યા હતાં.રોડ શો દરમિયાન પીએમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ લોકોને હાથ જાડીને અભિવાદન કરતા જાવા મળ્યા હતાં રોડ શોમાં વડાપ્રધાનની એક ઝલક જાવા લોકો ઉત્સુક જાવા મળ્યા હતાં ઘરોના છાપરા અને વરંડામાંથી મહિલાઓ, બાળકો અને કેટલીક જગ્યાએ વૃદ્ધો પણ મોદીની એક ઝલક જાવા ઉમટી હતી યુવાનો જ્યાં પણ હતાં ત્યાંથી પીએમ મોદી સાથે સેલ્ફી લઈ રહ્યા હતાં
રોડ શોમાં લોકો હર હર મહાદેવની સાથે હર હર મોદીના નારા લગાવી લાગ્યા હતાં. પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાથી લઈને કાશી વિશ્વનાથ મંદિર સુધી તેમના સ્વાગત માટે અનેક પોઈન્ટ બનાવવામાં આવ્યા હતાં આ સ્થળો પર પીએમ મોદીનું ભવ્ય અને અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું પીએમ મોદીને આવકારવા માટે માત્ર કાશીથી જ નહીં પરંતુ નજીકના મોટા શહેરોમાંથી પણ સંત સમાજના લોકો પહોંચ્યા છે. રોડ શોમાં દરેક ક્ષેત્રના હજારો લોકો જાડાયા હતા. રોડની બંને બાજુથી લોકો મોદી-મોદીનો જયઘોષ થઇ રહ્યો હતો