મેડાગાસ્કરમાં જનરલ ઝેડ સભ્યો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય ઉથલપાથલ મચાવી છે. સંસદે રાષ્ટ્રીય એન્ડ્રી રાજાએલિના સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો છે. હાલમાં, પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હિંદ મહાસાગરમાં અસ્થિત આ ટાપુ રાષ્ટ્રમાં સૈન્ય સત્તા સંભાળી રહ્યું છે.મેડાગાસ્કરમાં જનરલ ઝેડ ચળવળ અને સૈનિકો દ્વારા કરવામાં આવેલા બળવાને કારણે રાષ્ટ્રીય પહેલાથી જ દેશ છોડીને ભાગી ગયા છે. આ સ્થિતિમાં, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રીય એન્ડ્રી  રાજાએલિનાનો સાત વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. મેડાગાસ્કરમાં જનરલ-ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે એક લશ્કરી ટુકડી પ્રદર્શનોમાં જાડાઈ. પ્રદર્શન દરમિયાન, લશ્કરના સભ્યોએ રાષ્ટ્રીય અને મંત્રીઓના રાજીનામાની માંગણી કરી. મેડાગાસ્કરના ચુનંદા લશ્કરી એકમના કર્નલ માઈકલ રેન્ડ્રીયાનિરીનાએ કહ્યું કે લશ્કર લશ્કરી અને અર્ધલશ્કરી કાયદા અમલીકરણ દળોના અધિકારીઓની બનેલી એક કાઉન્સિલ બનાવશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં નાગરિક સરકાર બનાવવા માટે એક નવા વડા પ્રધાનની નિમણૂક કરવામાં આવશે.મેડાગાસ્કરમાં વારંવાર પાણી અને વીજળીના સપ્લાય બંધ થવાના વિરોધમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ વિરોધ પ્રદર્શનો બાદમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ફુગાવા અને શિક્ષણની નબળી સ્થિતિ સામે ગુસ્સામાં ફેરવાઈ ગયા હતા.મેડાગાસ્કરમાં, લગભગ ૭૫ ટકા લોકો ગરીબીમાં જીવે છે. મૂળભૂત જરૂરિયાતોની તીવ્ર અછત છે, અને ભ્રષ્ટાચાર વસ્તીને પીડાય છે. જનરલ ઝેડ વિરોધીઓને સૈન્ય તરફથી સમર્થન મળ્યું છે, જેનાથી પરિવર્તનની આશા જાગી છે.