મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિ રાજા રઘુવંશીની હત્યાના આરોપી સોનમે જામીન અરજી દાખલ કરી છે. સોહરા સબ-ડિવિઝનના પ્રથમ વર્ગ ન્યાયિક મેજિસ્ટ્રેટે તેની અરજીની સુનાવણી માટે ૧૭ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. વધારાના સરકારી વકીલ તુષાર ચંદ્રાએ જણાવ્યું હતું કે અરજી શુક્રવારે દાખલ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ પક્ષે કેસના રેકોર્ડની તપાસ કરવા માટે સમય માંગ્યો હતો.

સોનમના વકીલે ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં ખામીઓ હોવાનો દાવો કર્યો છે. રાજા રઘુવંશી રાજ્યમાં હનીમૂન પર હતા ત્યારે સોહરાના વૈસાડોંગ નજીક એક નિર્જન પા‹કગમાં ત્રણ હત્યારાઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની પત્ની અને તેના પ્રેમી રાજ કુશવાહાએ હત્યાની યોજના બનાવી હોવાનો આરોપ છે.

રાજા અને સોનમ મે મહિનામાં મેઘાલયથી ગુમ થયા હતા, જેના પગલે દેશવ્યાપી શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આખરે, રાજાનો મૃતદેહ મળી આવ્યો અને સોનમે ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જ્યારે મેઘાલયના તપાસકર્તાઓએ અન્ય આરોપીઓને પકડી લીધા. ગયા અઠવાડિયે, પોલીસે સોનમ, રાજ અને ત્રણ હત્યારાઓ વિશાલ સિંહ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી સામે ૭૯૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.