રાજધાની લખનૌમાં મુસ્લીમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેન્દ્રીય અધિકારી ડા.ઈન્દ્રેશ કુમારે કાશી, મથુરા અને સંભલ જેવા વિવાદિત ધાર્મિક સ્થળોને હિન્દુઓને સોંપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મુસ્લીમ સમાજે પહેલ કરવી પડશે અને કુરાન અને હદીસના પ્રકાશમાં મોટા નિર્ણયો લેવા પડશે. તેમણે વિવાદિત સ્થળોનો ઉકેલ સંવાદ દ્વારા શોધવાની પણ હિમાયત કરી હતી. ઈન્દ્રેશ કુમાર શનિવારે મુસ્લીમ રાષ્ટ્રીય મંચના કાર્યકર સંમેલન બાદ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા.
કૈસરબાગના ગાંધી ભવન ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ડો. ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે અદાલતો સર્વોપરી છે, પરંતુ વિવાદિત ધાર્મિક સ્થળોનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જાઈએ. તેનાથી દેશની એકતા, અખંડિતતા, સૌહાર્દ, ભાઈચારો અને સૌહાર્દ જળવાઈ રહે છે.
તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મુસ્લીમ સમાજ પોતાની જવાબદારી સમજે અને કાશી, મથુરા અને સંભલ જેવા સ્થળો પરના વિવાદોને વાતચીત દ્વારા ખતમ કરે. તેમણે કહ્યું કે ધર્મના નામે કબજા અને હિંસા ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
તેમણે મુસ્લીમ સમુદાયને અપીલ કરી હતી કે તેઓ આ સ્થળો હિન્દુ સમાજને સોંપે, જેથી ભારત સાંપ્રદાયિક સૌહાર્દનું વૈશ્વીક ઉદાહરણ બને. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે ઈસ્લામ શાંતિ અને ન્યાયનો ધર્મ છે. વિવાદો સંવાદ અને સર્વસંમતિ દ્વારા ઉકેલવા જાઈએ.
વક્ફ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૪નું સમર્થન કરતાં ઈન્દ્રેશ કુમારે કહ્યું કે આ કાયદો મુસ્લીમ સમાજના કલ્યાણ અને પારદર્શિતા માટે છે. વકફ મિલકતોનો ઉપયોગ સમાજ સેવા, શિક્ષણ અને આરોગ્ય માટે થવો જાઈએ. આ પહેલા મુફ્તી નોમાને કુરાનની પઠનથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.કાર્યક્રમનું આયોજન કરી રહેલા મુસ્લીમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક રઝા હુસૈન રિઝવીએ જણાવ્યું હતું કે જા મસ્જીદમાં મૂર્તિ હશે તો ત્યાં નમાઝ નહીં થાય. આપણે આગળ આવવું જાઈએ અને વિવાદિત સ્થળો પરત કરીને ઉકેલ શોધવો જાઈએ.