દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર મુનસિયારીના રાલમ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જાગદંડે પણ હાજર હતા. આ હેલિકોપ્ટર પિથોરાગઢથી મિલામ તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ ટ્રેકિંગ માટે મિલામથી નંદા દેવી બેઝ કેમ્પ જવાનો પ્લાન હતો. દરમિયાન ખરાબ હવામાનના કારણે બપોરે ૧ વાગ્યે આ ઘટના બની હતી. ડીએમએ સીઇસી સાથે વાત કરી, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. ખરાબ હવામાનના કારણે બપોરે ૧ વાગ્યે આ ઘટના બની હતી.
તમને જણાવી દઈએ કે રાજીવ કુમાર દેશના ૨૫મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેમણે ૧૫ મે ૨૦૨૨ ના રોજ ચાર્જ સંભાળ્યો અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આ પદ સંભાળશે. ૧૯૮૪ બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી રાજીવ કુમારે તેમની લાંબી વહીવટી કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
૧૯ ફેબ્રુઆરી, ૧૯૬૦ના રોજ જન્મેલા રાજીવ કુમારનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૫માં સમાપ્ત થશે. તેમણે ૩૬ વર્ષ સુધી વહીવટી સેવાઓમાં કામ કર્યું. કેન્દ્રના ઘણા મંત્રાલયો ઉપરાંત, તેમણે તેમના બિહાર-ઝારખંડ કેડરમાં પણ લાંબા સમય સુધી સેવા આપી હતી. રાજીવ કુમારે બી.એસસી સાથે જાહેર નીતિમાં એલએલબી,પીજીડીએમ અને એમએ પણ કર્યું છે. રાષ્ટÙપતિ અને ઉપરાષ્ટÙપતિ પદ માટેની ચૂંટણીઓ ઉપરાંત ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને કુમારના કાર્યકાળ દરમિયાન અનેક વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. કુમાર જ્યારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા ત્યારે તેઓ જાહેર સાહસ પસંદગી બોર્ડ (પીઇએસબી)ના અધ્યક્ષ હતા. તેમણે તત્કાલિન ચૂંટણી કમિશનર અશોક લવાસાના રાજીનામા બાદ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
કુમાર, ભારતીય વહીવટી સેવાના ૧૯૮૪ બેચના બિહાર/ઝારખંડ કેડર, ફેબ્રુઆરી ૨૦૨૦ માં નિવૃત્ત થયા. નિયમો મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષની વય સુધી (જે વહેલો હોય તે) હોય છે. કુમારનો જન્મ ફેબ્રુઆરી ૧૯૬૦માં થયો હોવાથી તેમનો કાર્યકાળ ૨૦૨૫ સુધીનો છે.