પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં શિક્ષકોના એક વર્ગને મળ્યા. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ૨૦૧૬ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ ભરતી દ્વારા કરવામાં આવેલી ૨૫,૭૫૨ શાળા શિક્ષકોની નોકરીઓ રદ કરી દીધી છે. આ પછી મુખ્યમંત્રી શિક્ષકોને મળ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોઈ મને શાળાની નોકરી ગુમાવનારાઓની સાથે ઉભા રહેવા બદલ સજા આપવા માંગે છે, તો હું જેલમાં જવા તૈયાર છું.
સુપ્રીમ કોર્ટના ૩ એપ્રિલના ચુકાદામાં ભરતી પ્રક્રિયામાં મોટા પાયે અનિયમિતતાઓ અને છેતરપિંડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે હજારો શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીએ કોર્ટના નિર્ણયનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ તેમણે આ ચુકાદાને લાયક ઉમેદવારો માટે અન્યાયી ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકાર સંચાલિત અને સહાયિત શાળાઓમાં શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની નોકરી ગુમાવનારા લોકોને સંબોધતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, કૃપા કરીને એવું ન વિચારો કે અમે તેને સ્વીકારી લીધું છે. અમે પથ્થર દિલના નથી અને આ કહેવા બદલ હું જેલમાં પણ જઈ શકું છું, પણ મને કોઈ વાંધો નથી.
પશ્ચિમ બંગાળની શાળાઓમાં નોકરી ગુમાવનારાઓની સાથે હું ઉભો છું અને તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે શક્્ય તેટલું બધું કરીશ. હું લાયક ઉમેદવારોને શાળાની નોકરી ગુમાવવા નહીં દઉં. હું શાળાની નોકરીઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંધાયેલો છું, પરંતુ પરિસ્થિતિને અત્યંત કાળજી અને ન્યાયી રીતે સંભાળવામાં આવે તે માટે હું પગલાં લઈ રહ્યો છું.
સીએમ બેનર્જીએ વધુમાં કહ્યું કે, મારું નામ એવી બાબતમાં ઘસવામાં આવી રહ્યું છે જેના વિશે મને કોઈ જાણકારી નથી. અમારી પાસે કેટલીક અલગ યોજનાઓ છે જેથી લાયક ઉમેદવારો બેરોજગાર ન રહે અથવા તેમની સેવામાં કોઈ વિક્ષેપ ન આવે. અહીં હાજર શિક્ષકો વંચિત છે અને અમે તેમનું દુઃખ સમજીએ છીએ. જો તેઓ મને જેલમાં નાખે તો મને કોઈ વાંધો નથી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ભગવો હોય કે લીલો, હું બધા માટે ઉભો રહીશ.
મુખ્યમંત્રીએ કહ્યું, મારા પર સતત હુમલા થઈ રહ્યા છે. મેં કોઈનું કામ લીધું નથી. મેં કહ્યું કે આપણે પરિવર્તન ઇચ્છીએ છીએ, બદલો નથી ઇચ્છતા. ભૂતપૂર્વ ઝ્રત્નૈંનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જસ્ટીસ ચંદ્રચુડે માનવતાના ધોરણે આ મામલાને જાયા બાદ સુપ્રીમ કોર્ટમાં કેસ પર સ્ટે મૂક્યો હતો. એક CJI ના નિર્ણયને બીજા સીજેઆઇએ ઉથલાવી દીધો. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું કોઈને પણ તેની નોકરી ગુમાવવા નહીં દઉં, આ મારી પ્રતિબદ્ધતા છે.
હું તમને પડકાર ફેંકું છું, પડદા પાછળ એક રમત ચાલી રહી છે. તેઓ આપણી શિક્ષણ વ્યવસ્થાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે એ નથી જણાવ્યું કે કયો શિક્ષક લાયક છે અને કોણ લાયક નથી. કોઈ તથ્ય શોધક ટીમ બનાવવામાં આવી નથી. સીબીઆઈએ શું કરવું તે પણ કહ્યું નહીં. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, કલ્યાણ બેનર્જી અને અન્ય કાનૂની સંસ્થાઓ શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટમાં લડશે જેથી વિજય સુનિશ્ચિત થાય.
તેમણે આગળ કહ્યું, ઘણા શિક્ષકોએ ગોલ્ડ મેડલ જીત્યા છે અને તમે તેમને ચોર કહી રહ્યા છો, તમે તેમને અસમર્થ કહી રહ્યા છો, તમને આ અધિકાર કોણે આપ્યો? આ રમત કોણ રમી રહ્યું છે? આ મામલે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SSC શિક્ષકોએ પોતાની નોકરી ગુમાવ્યા બાદ, બધાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, મમતા બેનર્જીએ જેલમાં જવું જોઈએ. તે મુખ્ય લાભાર્થી છે. તેમના ભત્રીજાએ ૭૦૦ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.








































