દક્ષિણ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને જોડતા, પુનઃનિર્મિત કર્નાક બ્રિજ, જે હવે સિંદૂર બ્રિજ તરીકે ઓળખાય છે, તેનું ઉદ્ઘાટન ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાયઓવર (બ્રિજ) દક્ષિણ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ ટ્રાફિક પ્રવાહમાં ઘણો સુધારો કરશે તેવી અપેક્ષા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આજે મુંબઈમાં ક્ષતિગ્રસ્ત કર્નાક બ્રિજના સ્થાને સિંદૂર બ્રિજનું ઉદ્ઘાટન થયુંં છે, જેને તોડી પાડવામાં આવ્યો હતો. કર્નાક એક જુલમી રાજ્યપાલ હતો. આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર ભારતીયોના હૃદયમાં રહે છે. તેથી જ અમે પુલનું નામ બદલીને સિંદૂર બ્રિજ રાખવાનો નિર્ણય લીધો છે. હું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું. તેમણે રેકોર્ડ સમયમાં આ પુલનું બાંધકામ પૂર્ણ કર્યું છે. હું આ પુલ મુંબઈના લોકોને સમર્પિત કરું છું.
તમને જણાવી દઈએ કે, આજે ઉદ્ઘાટન કરાયેલ સિંદૂર બ્રિજને પહેલા કર્નાક બ્રિજ કહેવામાં આવતું હતું. બાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ આ પુલનું નામ ભૂતપૂર્વ ગવર્નર જેમ્સ રિવેટ કર્નાકના નામ પરથી “સિંદૂર બ્રિજ” રાખવામાં આવ્યું. મસ્જીદ બંદર રેલ્વે સ્ટેશનની નજીક સ્થિત સિંદૂર ફ્લાયઓવર અથવા પુલ, પી.ડી.મેલો રોડને ક્રોફર્ડ માર્કેટ, કાલબાદેવી અને મોહમ્મદ અલી રોડ જેવા મુખ્ય વ્યાપારી વિસ્તારો સાથે જોડે છે. ઓગસ્ટ ૨૦૨૨ માં સલામતીના કારણોસર ૧૫૦ વર્ષ જૂનો કાર્નાક બ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ મ્સ્ઝ્ર એ આ પુલ બનાવ્યો છે.
આ પુલનું બાંધકામ વધારાના મ્યુનિસિપલ કમિશનર અભિજીત બાંગરના નેતૃત્વ હેઠળ ફાસ્ટ-ટ્રેક કરવામાં આવ્યું હતું અને ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થયું હતું. આ પુલ ૩૨૮ મીટર લાંબો છે, જેમાં ૭૦ મીટર રેલ્વે પરિસર અને ૨૩૦ મીટર એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. તેના બાંધકામમાં બે સ્ટીલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, દરેકનું વજન ૫૫૦ મેટ્રિક ટન છે. દક્ષિણ ગર્ડર ૧૯ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્તરીય ગર્ડર ૨૬ અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ નિયંત્રિત રેલ્વે ટ્રાફિક અવરોધો વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યો હતો.







































