અમરેલી શહેરમાં ભાડા બાબતે રીક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે રાઠોડભાઈ જગુભાઈ ધાધલ (ઉ.વ.૪૫)એ નાજભાઈ વલકુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની રીક્ષાનું ભાડું લઈને જતા હતા. તે સમયે ભાડુઆતને બોલાવી કહેવા લાગ્યા કે તમે જે ભાવે રીક્ષા ભાડે રાખી તેના કરતાં સસ્તા ભાવે તમને મૂકી જઈશ તેમ કહેતા તેમણે મારે ભાડું બંધાઈ ગયું છે તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને ઢીકાપાટુ માર્યા હતા.તેમજ ઝપાઝપી કરી રીક્ષામાંથી લાકડી કાઢી માર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.