શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલા ખાતે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લલ્લુભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ડા. દીપકભાઈ શેઠ અને આશીર્વાદ ટ્રસ્ટના ગીતાબેન જોશી તથા કેળવણીકાર વિનુભાઈ રાવળે કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. તેમણે આ રોગના લક્ષણો, નિદાન અને સારવાર વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. કાર્યક્રમમાં અધ્યાપન મંદિરના પ્રમુખ, મંત્રી અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડાએ કર્યું હતું. આ પ્રસંગે અધ્યાપન મંદિરના શિક્ષક ડા. રવિભાઈ મહેતા, સ્ટાફગણ રેણુકાબેન અને અરુણાબેન હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ભાવેશભાઈ કાકલોતરે કરી હતી.