મહારાષ્ટ્ર રાજ્યમંત્રી છગન ભુજબળને મહારાષ્ટ્ર સદન કૌભાંડ કેસમાં મોટી રાહત મળી છે.એસીબી પછી, હવે ઈડી કેસમાં પણ ભૂજબળને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે છગન ભુજબળ અને અન્ય લોકોની નિર્દોષ જાહેર અરજીઓ સ્વીકારી છે. તેમને એ આધાર પર નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા કે જા કોઈ ચોક્કસ ગુનો ન હોય તો ઈડીનો કેસ ટકી શકતો નથી. ખાસ કોર્ટના ન્યાયાધીશ સત્યનારાયણ નવાંદરે તેમને નિર્દોષ જાહેર કર્યા.
આ કેસ ૨૦૦૫-૨૦૦૬માં આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત હતો. ભુજબળ પર મહારાષ્ટ્ર સદનનું બાંધકામ એક કંપનીને આપવાનો આરોપ હતો જ્યારે તેઓ જાહેર બાંધકામ વિભાગના મંત્રી હતા અને બદલામાં લાભ મેળવતા હતા. ઈડીના જણાવ્યા અનુસાર, ભુજબળ અને તેમના પરિવારના સભ્યોએ મહારાષ્ટ્ર સદનના નિર્માણ માટે બાંધકામ કંપની કે.એસ. ચમનકર પાસેથી લાંચ લીધી હતી.
તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે બાંધકામ કંપનીએ એવી કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા જેમાં મંત્રીના પુત્ર પંકજ અને ભત્રીજા સમીર ભુજબળ ડિરેક્ટર હતા. એક વકીલે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસના વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ રામજીવન નવાંદરે વરિષ્ઠ એનસીપી નેતા અને આ કેસમાં અન્ય આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સ્વીકારી હતી.
ઈડીનો કેસ એનસીપી નેતા અને તેમના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા દાખલ કરાયેલી એફઆઇાર પર આધારિત છે. આ કેસમાં આરોપ એ હતો કે મહારાષ્ટ્ર સદનની મૂળ કિંમત ૧૩.૫ કરોડ રૂપિયા હતી, જે પાછળથી વધારીને ૫૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી.
ઈડીના આરોપ મુજબ, ભુજબળે કંપની પાસેથી ૧૩.૫ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી, જ્યારે કંપનીએ મહારાષ્ટ્ર સદન અને જાહેર બાંધકામ વિભાગના અન્ય કામોમાંથી આશરે ૧૯૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. છગન ભુજબળ, તેમના પુત્ર પંકજ, ભત્રીજા સમીર અને અન્ય પાંચ લોકોને ૨૦૨૧ માં એસીબી ના ખાસ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મામલે એનસીપી અને ભુજબળ પણ એક સમયે વિપક્ષના નિશાના પર હતા. સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયા ત્યારે વિપક્ષી પક્ષોએ એનસીપી અને ભાજપ પર પણ હુમલો કર્યો હતો.






































