(એ.આર.એલ),ભોપાલ,તા.૮
મધ્યપ્રદેશમાં આજે સવારે મુખ્યમંત્રી મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા ઓબીસી સમુદાયના અગ્રણી નેતા રામનિવાસ રાવતે મંત્રી તરીકે શપથ લીધા છે. રામ નિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભાના ધારાસભ્ય છે. લાંબા સમયથી તેમના મંત્રી બનવાની અટકળો ચાલી રહી હતી.રામનિવાસ રાવતે ભાગવત કથા માટે કલશ યાત્રાનું આયોજન કર્યું હતું જે રવિવારે ૭ દિવસ સુધી ચાલી હતી અને આ દરમિયાન તેમને મુખ્યમંત્રી આવાસથી બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ તેમના સમર્થકો સાથે ભોપાલ જવા રવાના થયા હતા. છ વખતના ધારાસભ્ય રામનિવાસ રાવતે ૩૦ એપ્રિલે સીએમ ડા. મોહન યાદવ, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને ડા. નરોત્તમ મિશ્રાની હાજરીમાં એક જાહેર સભામાં ભાજપનું સભ્યપદ લીધું હતું. કોંગ્રેસ માટે આ મોટો ફટકો હતો.રામનિવાસ રાવત વિજયપુર સીટથી ૬ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ દિÂગ્વજય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે આ સિવાય તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામે કોંગ્રેસ તરફથી સાંસદની ચૂંટણી પણ લડી ચુક્યા છે. રાજ્યના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા રામનિવાસ ઓબીસી નેતા તરીકે એક મોટો ચહેરો છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમની નારાજગીનું મુખ્ય કારણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમની અવગણના અને તેમને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ન બનાવવાને માનવામાં આવે છે.કોંગ્રેસના છ વખત ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રામનિવાસ રાવત મંત્રી બન્યા બાદ એક અલગ કદના નેતા તરીકે ઉભરી આવશે. સૂત્રોનું કહેવું છે કે સરકારમાં તેમની ભૂમિકા પણ નક્કી થઈ ગઈ છે અને મોહન કેબિનેટમાં સામેલ થઈને તેઓ સ્વાભાવિક રીતે તેમનું કદ વધારશે. અગાઉ પણ રાવતે દિગ્ગી સરકારમાં મંત્રી પદ સંભાળ્યું હતું અને ૨૦૦૩થી ભાજપ સરકાર સત્તામાં હતી ત્યારથી તેઓ વિપક્ષમાં બેઠા હતા. કમલનાથ સરકાર સત્તામાં આવ્યા બાદ પણ તેમને કોઈ પદ આપવામાં આવ્યું નથી. આ જ કારણ છે કે તેમનો રોષ દિવસેને દિવસે વધતો ગયો.