મધર્સ ડેના આગલા દિવસે જ ઉત્તર પ્રદેશથી એક દર્દનાક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, યુપીના સીતાપુરમાં એક જ પરિવારના ૬ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ અનુસાર યુવકે માતા, પત્ની અને બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ સાથે આરોપીએ તેની માતાને ગોળી મારી અને તેની પત્નીની હથોડી વડે હત્યા કરી. આ પછી આરોપીએ તેના ત્રણ બાળકોને છત પરથી ફેંકી દીધા જેના કારણે તેઓનું પણ મોત થયું. પરિવારના પાંચ સભ્યોની હત્યા કર્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક ચર્ચા મુજબ આરોપી ડ્રગ એડિક્ટ હતો અને માનસિક રીતે અસ્વસ્થ હતો. મધર્સ ડેના આગલા દિવસે જ આ પ્રકારની ઘટના બનતા લોકો કળયુગી પુત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના સીતાપુરના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બનેલી એક ઘટનાએ હાલ ચકચાર જગાવી છે. પલ્હાપુરમાં ગત રાત્રે ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે આ હત્યાને અંજામ આપ્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ અનુરાગ સિંહ, માતા સાવિત્રી દેવી (૬૨), પત્ની વીરેન્દ્ર સિંહ, પત્ની પ્રિયંકા સિંહ (૪૦), પુત્રી આશ્વી (૧૨), પુત્ર અનુરાગ અને પુત્રી અર્ના (૦૮)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આદવિક (૦૪)નું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહ (૪૫) એ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
આ તરફ સ્થાનિકોને વહેલી સવારે આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટના અંગે એસએસપી સીતાપુર ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે, મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી હતી કે, અનુરાગ સિંહ (ઉંમર- ૪૫ વર્ષ) નામના એક માનસિક રીતે બીમાર વ્યક્તિએ કથિત રીતે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.