(એ.આર.એલ),જેહાનાબાદ,તા.૧
બિહારના જહાનાબાદ લોકસભા મતવિસ્તારના બૂથ નંબર ૧૫૧ હેઠળના દેવ કુલી ગામમાં એક મહિલાનું મોત થયું હતું. જાકે, પરિવારના સભ્યોએ પહેલા મતદાન કરવાનું નક્કી કર્યું હતું. તે પછી તેણે અંતિમ સંસ્કારની વાત કરી.
મળતી માહિતી અનુસાર, જહાનાબાદ જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા દેવ કુલી ગામના રહેવાસી મિથિલેશ યાદવ અને મનોજ યાદવની માતાની ઉંમર ૮૦ વર્ષથી વધુ હતી અને તેમનું નિધન થઈ ગયું હતું. તેમના મૃત્યુના કલાકો બાદ જ મતદાન શરૂ થવાનું હતું. આવી સ્થતિમાં સૌએ મન બનાવ્યું કે પહેલા મતદાન કરીએ અને પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરીએ. મૃતકના પુત્ર મનોજ યાદવે જણાવ્યું કે દર પાંચ વર્ષે મતદાન આવે છે. મારી માતા જે છોડી ગઈ છે તે આવશે નહીં. તેથી, અમે સમગ્ર પરિવાર સાથે સૌ પ્રથમ મતદાન કરવાનું મન બનાવ્યું. આ પછી જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો જાઈએ. મૃતકના ઘરની મહિલા સભ્ય ઉષા દેવીએ પણ કહ્યું કે મતદાન કરવું જરૂરી છે તેથી અમે પહેલા મતદાન કરવા જઈ રહ્યા છીએ. અમે સમગ્ર પરિવાર સાથે કતારમાં ઉભા રહીશું અને પહેલા મતદાન કરીશું. ત્યાર બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.