શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લી. ના સભાસદ પરેશભાઈ ચુનીભાઈ વેકરીયા (રહે.રૂગનાથપુર તા.ખાંભા)નું અવસાન થતા તેમના વારસદારને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા)નો ચેક મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડીયા, ડિરેક્ટર ગિરધરભાઈ છભાયા, મનસુખભાઈ ગજેરા, રાજેશભાઈ સુરાણી, દલસુખભાઈ ભેસાણીયા હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે રૂગનાથપુર ગામના પ્રતિનિધિઓ- ધર્મેન્દ્રભાઈ ગજેરા, હિમ્મતભાઈ વેકરીયા, અનિલભાઈ સાવલીયા, ભરતભાઈ વેકરીયા, રમેશભાઈ વેકરીયા, ઘનશ્યામભાઈ વેકરીયા સહિત મંડળીના હોદ્દેદારો હાજર રહેલ હતા. તેમ મંડળીના સેક્રેટરી ક્રિનલબેન ગેડીયાની અખબારી યાદીમાં જણાવેલ છે.