જૂનાગઢના ભેસાણ ખાતેના બીઆરસી ભવનમાં દિવ્યાંગ બાળકોનો રિસોર્સ રૂમ છે. અહીં પ્રતિ શનિવારે દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે અને તેમને સ્પેશિયલ ટીચર દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે હેતુથી બેંક ઓફ બરોડા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોમર્શિયલ ૭૦ લીટરનો મિનરલ આરઓ પ્લાન્ટ
દાન આપવામાં આવ્યો છે. આ તકે બેંક ઓફ બરોડાના મેનેજર આલોકકુમાર રંજન, મિલનભાઈ વ્યાસ, યુનુસભાઈ, ડો. કિશોરભાઈ શેલડીયા સી.આર.સી.કો ઓર્ડીનેટર, બીઆરસી દિલીપભાઈ મકવાણા, પ્રવીણભાઈ બારડ, સ્પેશિયલ ટીચર સુધીરભાઈ બાલધા, રીટાબેન બાલધા, કેતનભાઇ રૂપાપરા, દીપકભાઈ વિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેંકના મેનેજર આલોકકુમાર રંજનનું શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું.