ભેંસાણ,તા.૧૪
ભેંસાણના હનુમાન પરા વિસ્તારમાં આવેલ સમસ્ત ભેંસાણીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મઢે વાર્ષિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિના ભડલાના પ્રખ્યાત રામા મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ભાવિકોએ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી જેમાં સમસ્ત ભેંસાણીયા પરિવારના લોકોની સાથે સાથે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સામાજીક તેમજ રાજકીય પક્ષોના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ પણ ખાસ હાજરી આપી હતી, આ કાર્યક્રમમાં કુટુંબના વડીલો તેમજ સ્વયંસેવકો તેમજ દાતાઓને શાલ ઓઢાડી, તેમજ સન્માપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.