પાકિસ્તાને જેસલમેર અને જમ્મુ પર મિસાઇલોથી હુમલો કર્યો છે, જેને ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવી દીધો છે. દરમિયાન, આઇપીએલ ૨૦૨૫ માં, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર આ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણી હોવાથી, શહેરમાં ‘બ્લેકઆઉટ’ લાદવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી સતત ડ્રોન હુમલાઓ બાદ આ કરવામાં આવ્યું હતું. પહેલા, મેચની વચ્ચે સ્ટેડિયમની ફ્લડલાઇટ્‌સ બંધ કરી દેવામાં આવી. આ પછી બધા ખેલાડીઓ મેદાન છોડીને ચાલ્યા ગયા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમના લાઇટ ટાવરમાં ખામી સર્જાઈ હતી. વિસ્તારમાં વીજળી ગુલ થવાને કારણે મેચ રદ કરવામાં આવી હતી. સ્ટેડિયમમાં હાજર દર્શકોને થયેલી અસુવિધા બદલ બીસીસીઆઈ દિલગીર છે.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી. આ બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી અને ટીમનો સ્કોર ૧૦૦ રનથી વધુ લઈ ગયા. આ બે ખેલાડીઓ સામે દિલ્હી કેપિટલ્સના બોલરો મોટા ફ્લોપ સાબિત થયા. પંજાબ કિંગ્સની ટીમે ૧૦.૧ ઓવર પછી ૧૨૨ રન બનાવ્યા હતા. ટીમ તરફથી પ્રિયાંશ આર્યએ ૩૪ બોલમાં ૭૦ રન બનાવ્યા. આ ઉપરાંત પ્રભસિમરન સિંહે ૨૮ બોલમાં ૫૦ રન બનાવ્યા, જેમાં ૭ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ બેના કારણે જ પંજાબ કિંગ્સની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી. દિલ્હી કેપિટલ્સ તરફથી એકમાત્ર વિકેટ ટી નટરાજને લીધી હતી. પ્રભસિમરન આઉટ થતાં જ. ત્યારબાદ મેચ બંધ કરી દેવામાં આવી.