આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક વૃદ્ધિ મધ્યમ ગાળામાં લગભગ ૩ ટકા રહેવાનો અંદાજ છે, જે રોગચાળા પહેલા ૩.૭ ટકા હતી,” આઇએમએફ ચીફે ૨૦૨૫ આઇએમએફ-વર્લ્ડ બેંક વાર્ષિક બેઠક પહેલા જણાવ્યું હતું. તેણીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક વિકાસ પેટર્ન બદલાઈ રહી છે, ખાસ કરીને ચીનનો વિકાસ દર સતત ઘટી રહ્યો છે.વોશિંગ્ટન, ડી.સી.માં આઇએમએફ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં બોલતા, જ્યોર્જિવાએ ભારતને વૈશ્વિક વિકાસનું મુખ્ય એન્જીન ગણાવ્યું. જ્યોર્જિવાએ ભારતના આર્થિક સ્થિતિસ્થાપકતા માટે ચાર કારણો ટાંક્યા. તેણીએ કહ્યું કે દેશની આર્થિક મજબૂતાઈ સુધારેલી નીતિ અને મૂળભૂત બાબતો, ખાનગી ક્ષેત્રના મજબૂત પ્રદર્શન, ટેરિફની શરૂઆતમાં અપેક્ષા કરતા ઓછી અસર અને સહાયક નાણાકીય પરિસ્થિતિઓને કારણે છે. જાકે, જ્યોર્જિવાએ નોંધ્યું કે ટેરિફની સંપૂર્ણ અસર હજુ સુધી સાકાર થઈ નથી.
યુએસ વિશે બોલતા, જ્યોર્જિવાએ કહ્યું કે માર્જિન પર દબાણથી ત્યાં કિંમતો વધી શકે છે. આ નાણાકીય નીતિ અને વિકાસને અસર કરે તેવી શક્્યતા છે. જ્યોર્જિવાએ એમ પણ કહ્યું કે વૈશ્વિક સ્થિતિસ્થાપકતા “હજુ સુધી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવી નથી.” તેણીએ ચેતવણી આપી હતી કે સોનાની માંગમાં વધારો અને સરળ નાણાકીય પરિસ્થિતિઓ નબળાઈઓને ઢાંકી શકે છે.જ્યોર્જીએવાએ દેશોને સંસ્થાઓને મજબૂત બનાવવા, મિલકતના અધિકારોનું રક્ષણ કરવા અને વાજબી સ્પર્ધાને પ્રોત્સાહન આપતા સુધારાઓ દ્વારા ખાનગી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. તેમણે એશિયન અર્થતંત્રોને લાંબા ગાળાના જીડીપીને વધારવા માટે આંતરિક વેપાર વધારવા પણ વિનંતી કરી.








































