(એ.આર.એલ),વિશાખાપટ્ટનમ,તા.૨૨
ભારતે તેના વિરોધીઓ સામે તેના પરમાણુ પ્રતિરોધને મજબૂત કરવા વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડંગ સેન્ટર ખાતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટક મિસાઇલ સબમરીન લોન્ચ કરી છે. જાણકારી અનુસાર, ૧૬ ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડંગ સેન્ટરમાં લોન્ચ કર્યું હતું. આમાંથી ૭૫% માલ ભારતમાં બને છે. તેનું કોડ નેમ કોડનેમ જી૪ છે. તે પાંત્રીસસો કિલોમીટરની રેન્જ સાથે ન્યુક્લયર બેલેસ્ટક મિસાઈલથી સજ્જ છે.
નેવીની એસ ૪ સબમરીન ૩,૫૦૦ કિમીની રેન્જ સાથે કે-૪ પરમાણુ બેલેસ્ટક મિસાઇલોથી સજ્જ છે. જેને વર્ટિકલ લોન્ચંગ સિસ્ટમ દ્વારા ફાયર કરી શકાય છે. જ્યારે આઇએનએસ અરિહંત, તેની પ્રથમ શ્રેણી, ૭૫૦ કિમીની રેન્જ સાથે કે-૧૫ પરમાણુ મિસાઈલ લઈ શકે છે.આઇએનએસ અરિહંત અને આઇએનએસ અરિઘાટ બંને પહેલાથી જ ઊંડા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
રાષ્ટÙીય સુરક્ષા આયોજકોએ ભારતની પ્રથમ પરમાણુ સબમરીન આઇએનએસ ચક્રને એસ-૧,આઇએનએસ અરિહંતને એસ-૨ આઇએનએસ અરિઘાટને એસ-૩ આઇએનએસ અરિધમાનને એસ ૪ નામ આપ્યું છે. તેના વર્ગની છેલ્લી સબમરીન એસ ૪ છે જેનું નામ ઔપચારિક રીતે જાહેર કરવાનું બાકી છે.કેન્દ્ર સરકાર ચીન જેવા શÂક્તશાળી વિરોધીઓ સામે સબમરીન પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ કારણે જ સરકારે ભારતીય નૌકાદળ માટે ત્રીજા એરક્રાફ્ટ કેરિયર પર પરમાણુ હુમલો અને બેલિસ્ટક મિસાઈલ સબમરીનને પ્રાથમિકતા આપી છે. સરકારે પરંપરાગત સબમરીન ક્ષમતામાં પણ વધારો કર્યો છે અને આ વર્ષે ડિસેમ્બરમાં કલવરી વર્ગની સબમરીન આઇએનએસ વાગશીર કાર્યરત થઈ