અમરેલી જિલ્લાના રોડ રસ્તા રકતરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હતો. ડાંગાવદર ગામે રહેતા રતુભાઈ જીવાભાઈ બલદાણીયા (ઉ.વ.૭૦)એ મીની બસ નંબર જીજે-૧૧-ટીટી-૮૮૦૯ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના પત્ની ભાયાવદરથી ડાંગાવદર જતા રોડ ઉપર સુરાપુરાની ખાંભી પાસેથી બળદગાડામાં પસાર થતા હતા ત્યારે મીની બસના ચાલકે આવીને ટક્કર મારી હતી. જેમાં તેમને બંનેને ઈજા થઈ હતી. બાબરાના ખંભાળા ગામે રહેતા રાજુભાઈ વિરજીભાઈ આહલગામા (ઉ.વ.૩૪)એ અજાણ્યા વાહન
ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ભત્રીજો ભાવેશભાઈ ભરતભાઈ આહલગામા (ઉ.વ.૧૮) તાઈવદર ગામના પાટીયા પાસેથી બાઇક લઇને પસાર થતો હતો ત્યારે વાહનચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. લાઠીના કૃષ્ણગઢ ગામે રહેતા જીવાભાઈ ભીખાભાઈ કનાળા (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, દેવાયતભાઈ
ભુરાભાઈ કનાળાનું બાઈક લીલીયાથી
અંટાળીયા જવાના રસ્તે ખોડીયાર મંદિર આગળ સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા.